Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુર માર્કેટ યાર્ડમાં સ્ટોલ ફાળવણીમાં ગોબાચારી

જામજોધપુર તા. ૧૦ઃ જામજોધપુર માર્કેટ યાર્ડમાં દુકાન ફાળવણીમાં ગોબાચારી આચરવામાં આવી હોવા અંગે જવાબદારો સામે પગલા લેવાની માંગ ઉઠવા પામી છે.

જામજોધપુર માર્કેટ યાર્ડમાં પાન-બીડીના સ્ટોલ માટે ટેન્ડર પ્રસિદ્ધ કરાયું હતું. ટેન્ડર સમિતિ દ્વારા કાયદાકીય નિયમને ધ્યાનમાં લીધા વગર દુકાનના સ્થળમાં ફેરફાર કરી નાખવામાં આવ્યો હતો. આ માટે રાજકીય ભલામણો કારણભૂત હોવાનું ચર્ચાઈ રહ્યું છે.અહિના રામવાડીમાં રહેતા જયસુખભાઈ કંટારીયાએ રજીસ્ટ્રારને પત્ર પાઠવી રજુઆત કરી છે કે માર્કેટ યાર્ડમાં બંધ કવરમાં ટેન્ડરો મંગાવાયા હતા જેમાં નિયમ મુજબ સ્ટોલ ફાળવણી થઈ હતી પરંતુ બે માસ પછી અન્ય સ્થળે સ્ટોલની જગ્યા ફાળવણી કરી આપવામાં આવી હતી. યાર્ડના ડાયરેકટરની ભલામણથી સેક્રેટરીએ આ કૃત્ય આચર્યું હતું અને સંસ્થાને નુકસાન પહોંચાડવાનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. આ અંગે યોગ્ય પગલા લેવા જયસુખભાઈએ માંગણી કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh