Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પુત્રની ચિંતામાં ગરકાવ પિતાએ કરી લીધું વિષપાનઃ
જામનગર તા. ૧૦ઃ લાલપુરના મોટા ખડબા ગામમાં રહેતા ખેતમજૂરે પોતાના પત્ની પિયર ચાલ્યા જતાં આઘાત લાગી આવતા દવા પી આત્મહત્યા કરી લીધી છે. જ્યારે ભાણવડના નવાગામના પ્રૌઢે પુત્રના છૂટાછેડા થયા પછી તેની ચિંતામાં વિષપાન કરી જિંદગીનો અંત આણ્યો છે.
લાલપુર તાલુકાના મોટા ખડબા ગામમાં આવેલા બાબુભા નટુભા જાડેજાના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના વતની દિનેશભાઈ બહાદુરભાઈ ભાંભોર (ઉ.વ.રર) નામના શ્રમિકે મંગળવારની રાત્રે ખેતરમાં આવેલી ઓરડીમાં કોઈ ઝેરી દવા પી લીધી હતી.
આ યુવાને દવા પીધી હોવાનું જણાઈ આવતા તેને સારવાર માટે લાલપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને ફરજ પરના તબીબે મૃત્યુ પામેલો જાહેર કર્યાે હતો. પોલીસે મૃતકના પિતા બહાદુરભાઈ રતનસિંહ ભાંભોરનું નિવેદન નોંધ્યું છે. જેમાં ખૂલ્યા મુજબ આ યુવાનના દોઢેક વર્ષ પહેલા લગ્ન થયા હતા. તે પછી પતિ-પત્ની વચ્ચે મતભેદ થતાં તેની પત્ની ચારેક મહિના પહેલા રિસાઈને પિયર જતી રહી હતી. તેથી વ્યથિત રહેતા દિનેશભાઈ એ આત્મહત્યા કરી છે. પોલીસે નિવેદનની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના નવાગામમાં રહેતા અશોકભાઈ જમનભાઈ માકડીયા (ઉ.વ.૫૨) નામના પ્રૌઢના સુરતમાં રહેતા પુત્ર શ્યામના લગ્ન થયા પછી આઠેક મહિના પહેલા શ્યામ તથા તેની પત્નીએ છૂટાછેડા લીધા હતા. તે પછી પુત્રના ભવિષ્ય માટે સતત ચિંતાગ્રસ્ત રહેતા પિતા અશોકભાઈએ મંગળવારે સાંજે કોઈ ઝેરી દવા પી લીધી હતી. તેઓનું સારવારમાં ખસેડવામાં આવ્યા પછી મૃત્યુ થયું છે. તેમના મોટાભાઈ મનસુખભાઈ માકડીયાએ પોલીસને જાણ કરી છે. આ બનાવે નાનકડા એવા નવાગામમાં આઘાતની લાગણી પ્રસરાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial