Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના સામાજિક કાર્યકરનો તંત્રોને વેધક સવાલઃ
જામનગર તા. ૧૦ઃ ખોરાક અને દવાઓમાં ભેળસેળ કરનારાઓને ભારે દંડ અને મોટી જેલ સજા કયારે થશે ? તેવો વેધક સવાલ સામાજિક કાર્યકર પી.ડી. વાઢેરએ ઉઠાવ્યો છે. પાન, મસાલા, દવાઓ, ખાદ્ય પદાર્થ જેવા કે ઘી, કેરીનો રસ, લસ્સી, વરીયાળી, ઘરેલું મસાલા, દૂધ, માખણ વગેરે જેવી અસંખ્ય ખાદ્યો પદાર્થો, જીવન રક્ષક દવાઓમાં માદક દ્રવ્ય ખાદ્ય પદાર્થમાં ઝેરી કેમીકલ્સ વગેરેથી અનેક લોકો કેન્સર જેવી ભયંકર બીમારીનો ભોગ બને છે. લોકોની જિંદગી સાથે ખીલવાડ થાય છે.
આવા પદાર્થની લેબોરેટરીનો અભાવ છે. જરૃરી સ્ટાફના અભાવે સેમ્પલનું પરીક્ષણ થતું નથી. ચાર-પાંચ માસ પછી સેમ્પલનું પરિણામ મળે છે.
વર્ષોથી ભેળસેળ કરનારા તત્ત્વો લાખો રૃપિયા રળીને નજીવી રકમ ભરપાઈ કરી છૂટી જાય છે. આથી સરકારને વિનંતી છે કે અદ્યતન લેબોરેટરીની સુવિધા ઉભી કરવી જોઈએ. તેમાં જુનિયર સાયટિફીક આસીસસ્ટન્ટની ભરતી કરવી જોઈએ ભેળસેળ સામે દંડની રકમ પાંચ ગણી કરવી જોઈએ જેલ સજાની અવધી પણ વધારવી જોઈએ તો જ સાચા અર્થમાં જન આરોગ્ય રક્ષક બનશે તેવી લોકોની પણ માંગ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial