Advertisement
Author: નોબત સમાચાર

સિક્કામાં વણિક વેપારીએ રિવોલ્વર કાઢી સીન જમાવતા એસઓજીએ કરી કાર્યવાહી

વિના કારણે લાયસન્સવાળું હથિયાર બહાર કાઢ્યાની ચર્ચાઃ

જામનગર તા.૧૦ ઃ જામનગરના સિક્કામાં શનિવારે રાત્રે જામનગરના એક વણિક વેપારીએ સ્વબચાવની કોઈ જરૃરિયાત ન હોવા છતાં પોતાની લાયસન્સવાળી રિવોલ્વર બહાર કાઢી સીન સપાટા કરતા એસઓજીએ તેમની સામે ગુન્હો નોંધાવ્યો છે.

જામનગર તાલુકાના સિક્કા ગામમાં ગયા શનિવારની રાત્રે નાઝ સિનેમા પાસે એકાદ વાગ્યે જામનગરના એક પ્રૌઢે પોતાની પાસે રહેલી લાયસન્સવાળી રિવોલ્વર બહાર કાઢી સીનસપાટા કર્યાની જાણ થતાં જામનગર એસઓજીનો સ્ટાફ દોડી ગયો હતો.

તે સ્થળેથી જામનગરના પાર્ક કોલોની વિસ્તારમાં સિમંધર રેસિડેન્સી-૨માં રહેતા અમિતભાઈ રમેશભાઈ વોરા (ઉ.વ.પ૪) મળી આવ્યા હતા. આ આસામી પાસે પરવાના વાળી રિવોલ્વર છે. તે હથિયાર તેઓએ કોઈ જાતનો ભય ન હોવા છતાં કે સ્વબચાવની જરૃરિયાત ન હોવા છતાં બહાર કાઢી સીનસપાટા કર્યા હોવાનું જણાઈ આવતા એસઓજીના વિરેન્દ્રસિંહ જાડેજાએ ખુદ ફરિયાદી બની સિક્કા પોલીસ સ્ટેશનમાં અમિતભાઈ વોરા સામે જાહેરનામા ભંગ તથા આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh