Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુક્તિધામ સંકુલ જીર્ણોદ્ધાર કરી જનસેવામાં અર્પણઃ
જામનગર તા. ૧૦ઃ રિલાયન્સે ઝાંખર ગામના મુક્તિધામને જીર્ણોદ્ધાર કરી જનસેવામાં સમર્પિત કર્યું હતું. આ સ્મશાનનું ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શનમાં રૃપિયા ૭ર લાખના ખર્ચે નવનિર્માણ થયું છે.
લાલપુર તાલુકાના ઝાંખર ગામના મુક્તિધામ સંકુલનું રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શન હેઠળ નવનિર્માણ કરીને ગ્રામજનોને સુપ્રત કરાયું છે.
ઝાંખરનું આ મુક્તિધામ (સ્મશાન) સંકુલ અગાઉ અત્યંત જર્જરિત હાલતમાં હતું. આ અંગે ગ્રામજનોની રજૂઆતને ધ્યાનમાં લઈને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે રૃપિયા ૭ર લાખના ખર્ચે આ સંકુલનું નવનિર્માણ કર્યું છે. આ નવનિર્માણ હેઠળ મુક્તિધામના મુખ્ય દરવાજા, ડાઘુઓની સ્નાનવિધિ માટેની વ્યવસ્થા, લાકડાના સ્ટોરેજની સુવિધા ઉપરાંત અહીં શાંતિકૂટિરનું પણ નિર્માણ કરાયું છે. ઝાંખર ગામે કુલ ૩પ હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં થયેલા આ નવીનિકરણ પ્રોજેક્ટ હેઠળ સંકુલમાં ભગવાન શિવજીની પ્રતિમા સ્થાપવા ઉપરાંત આશરે ૧૬પ૦ વૃક્ષો અને ફૂલછોડનું વાવેતર કરીને સ્મૃતિવન બનાવવાનો પ્રયાસ કરાયો છે.
આ લોકાર્પણ પ્રસંગે ઝાંખર ગામના અગ્રણીઓ અને ગ્રામજનોએ આ અત્યંત મહત્ત્વની સુવિધા ઉપલબ્ધ કરી આપવા બદલ ધનરાજભાઈ નથવાણી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial