Advertisement
Author: નોબત સમાચાર

૧૩ મી ઓગષ્ટે સુવરડા તથા લાખાબાવળ ગામમાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન

સ્પેલ વેલ ઈન્ડિયા દ્વારા વૃક્ષારોપણ ઝુંબેશ

જામનગર તા. ૧૦ઃ દેશના શિક્ષણ મંત્રાલયની પ્રેરણાથી તા. ૧પ ઓગષ્ટ ર૦ર૩ સુધીમાં એક કરોડ વૃક્ષો વાવવાનું લક્ષ્યાંક સ્પેલ વેલ ઈન્ડિયાએ નિર્ધારિત કર્યું છે.

સ્પેલ વેલ ઈન્ડીયા જામનગર અને આસપાસના વિસ્તારોમાં પાંચસો જેટલા વૃક્ષો વાવવા સંકલ્પબધ્ધ છે. આ વાૃક્ષોના ઉછેર-સંભાળની જવાબદારી સ્થાનિક સમુદાયો નિભાવશે. ૧૮૦ થી વધુ શાળાઓ સાથે વ્યાપક વૃક્ષારોપણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

જામનગર નજીક સુવરડા તથા લાખાબાવળ ગામમાં તા. ૧૩ ઓગષ્ટ, ર૦ર૩ ના ફોરેસ્ટ વિભાગ તથા જેએમસી ગાર્ડન શાખાના સહયોગથી વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત જામનગરમાં સવારે ૭ વાગ્યાથી જોલી બંગલા પાસેથી પ્લાન્ટેશન ડ્રાઈવ શરૃ કરવામાં આવશે જે ૧૧ વાગ્યે પૂર્ણ થશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh