Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજથી મહાઅભિયાનની ઉજવણીનો પ્રારંભ
જામનગર તા. ૧૦ઃ દેશભરમાં આજથી મારી માટી મારો દેશ, માટીને નમન વીરોને વંદન મહા અભિયાનની શરૃઆત થઈ છે ત્યારે આજથી જામનગર જિલ્લાની કુલ ૪ર૧ ગ્રામ પંચાયતોમાં આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે. આજે તા. ૯-ઓગસ્ટના જામનગર તાલુકાની પ૦, ધ્રોલ તાલુકાની ૧૦, જોડિયા તાલુકાની ૧ર, લાલપુર તાલુકાની ર૧, જામજોધપુર તાલુકાની ૧૩, કાલાવડ તાલુકાની ર૭ ગ્રામ પંચાયતોમાં ઉજવણી કરવામાં આવશે તેમજ જે-તે ગામની નિર્ધારીત શાળાઓમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે અને દેશ માટે બલિદાન આપનાર શહીદવીરોના પરિવારજનોને સન્માનિત કરવામાં આવશે. જામનગર જિલ્લાના તમામ તાલુકાઓની ગ્રામ પંચાયતોમાં કાર્યક્રમની ઉજવણી અંતર્ગત શીલાફલકમ, વીર વંદના, પંચપ્રાણ પ્રતિષ્ઠા, વસુધા વંદન અને ધ્વજ વંદનના કાર્યક્રમો યોજવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial