Advertisement
Author: નોબત સમાચાર

વાડીનાર પંથકમાં હરતું ફરતું પશુ દવાખાનું પંદર દિવસથી બંધ હાલતમાં

વાડીનાર તા. ૧૦ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દર દસ ગામ દીઠ હરતું-ફરતું પશુ દવાખાનાની સુવિધા છે, પણ વાડીનાર પંથકના દસ ગામદીઠ ફાળવાયેલ હરતું-ફરતું પશુદવાખાનું છેલ્લા પંદર દિવસથી બંધ હાલતમાં ધૂળ ખાતું પડ્યું છે.

આ અંગે ૧૯૬ર હેલ્પલાઈન નંબર ઉપર ફોન કરતા 'ડોક્ટર રજા ઉપર છે'નો જવાબ મળે છે. આ પશુ દવાખાનું બંધ પડ્યું હોવાથી હાલના ચોમાસાના સમયગાળામાં પશુઓની સારવાર થઈ શકતી નથી. જો અન્ય ડોક્ટરને ફરજ સોંપાય તો મુંગા પશુઓને બીમારીમાં સારવાર મળી શકે !

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh