Advertisement
Author: નોબત સમાચાર

માનપરના યુવાનનું અકળ કારણથી વિષપાન પછી મૃત્યુ

કારણ જાણવા પોલીસ દ્વારા તપાસઃ

જામનગર તા.૧૦ ઃ ભાણવડના માનપર ગામના એક યુવાને અકળ કારણથી વિષપાન કર્યા પછી તેઓનું સારવાર દરમિયાન જામનગર દવાખાને મૃત્યુ નિપજ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના માનપર ગામમાં રહેતા રામદેભાઈ વીરાભાઈ કરમુર નામના ચાલીસ વર્ષના યુવાને ગઈ તા.૧૪ના દિને પોતાના ખેતરે અકળ કારણથી કોઈ ઝેરી દવા પી લીધી હતી.

સારવારમાં ખસેડવામાં આવેલા રામદેભાઈનું ગઈકાલે જામનગરની જી.જી. હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યું છે તેની જી.જી. હોસ્પિટલના જમાદાર આર.એ. કુબાવતે ભાણવડ પોલીસને જાણ કરી છે. જમાદાર એમ.એચ. કરંગીયાએ આગળની કાર્યવાહી કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh