Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જીડીપીનો અંદાજ યથાવત્ઃ મોંઘવારી વધશે, વ્યાજદરો નહીં વધે
મુંબઈ તા. ૧૦ઃ આરબીઆઈએ વર્ષ ર૦ર૩-ર૪ માટે કેટલાક અંદાજો કર્યા છે. આરબીઆઈના ગવર્નર શશિકાંત દાસે મોનેટરી પોલિસીની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપતા કહ્યું કે, રેપોરેટ ૬.પ ટકા યથાવત્ રાખ્યો છે, જ્યારે ફૂગાવો વધીને પ.૪ ટકા થશે, તેવું અનુમાન કરાયું છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગુરુવારે રેપો રેટમાં વધારો નહીં કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે વ્યાજદર ૬.પ૦ ટકા પર રહેશે. આરબીઆઈએ સતત ત્રીજી વખત દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. આરબીઆઈના ગવર્નર શશિકાંત દાસે આજે મોનેટરી પોલિસીની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપી હતી.
આરબીઆઈએ નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪ માટે ફૂગાવાના અનુમાનને પ.૧ ટકાથી વધારીને પ.૪ ટકા કર્યો છે. આ ઉપરાંત નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪ માં વાસ્તવિક જીડીપી વૃદ્ધિનો અંદાજ ૬.પ ટકા પર યથાવત્ રાખવામાં આવ્યો છે.
આરબીઆઈ પાસે રેપો રેટના રૃપમાં ફૂગાવા સામે લડવા માટે એક શક્તિશાળી સાધન છે, જ્યારે ફૂગાવો ઘણો ઊંચો હોય છે, ત્યારે આરબીઆઈ રેપો રેટ વધારીને અર્થતંત્રમાં નાણાનો પ્રવાહ ઘટાવાનો પ્રયાસ કરે છે. જો રેપો રેટ ઊંચો રહેશે તો બેંકોને આરબીઆઈ પાસેથી જે લોન મળશે તે મોંઘી થશે. બદલામાં બેંકો તેમના ગ્રાહકો માટે લોન મોંઘી કરશે. તેનાથી અર્થતંત્રમાં નાણાનો પ્રવાહ ઘટશે. જો નાણાનો પ્રવાહ ઓછો હશે તો માંગ ઘટશે અને ફૂગાવો ઘટશે.
એ જ રીતે જ્યારે અર્થવ્યવસ્થા ખરાબ તબક્કામાંથી પસાર થાય છે, ત્યારે પુનઃપ્રાપ્તિ માટે નાણાનો પ્રવાહ વધારવાની જરૃર છે. આવી સ્થિતિમાં આરબીઆઈ રેપો રેટમાં ઘટાડો કરે છે. આના કારણે બેંકો માટે આરબીઆઈ તરફથી લોન સસ્તી થઈ જાય છે અને ગ્રાહકોને પણ સસ્તા દરે લોન મળે છે.
દૃષ્ટાંત તરીકે જ્યારે કોરોનાના સમયગાળા દરમિયાન આર્થિક ગતિવિધિઓ ઠપ થઈ ગઈ હતી, ત્યારે માંગમાં ઘટાડો થયો હતો. આવી સ્થિતિમાં આરબીઆઈએ વ્યાજ દરોમાં ઘટાડો કરીને અર્થવ્યવસ્થામાં નાણાનો પ્રવાહ વધાર્યો છે.
રિવર્સ રેપો રેટ એ દર છે કે જેના પર આરબીઆઈ પૈસા રાખવા માટે બેંકોને વ્યાજ ચૂકવે છે, જ્યારે આરબીઆઈને બજારમાંથી તરલતા ઘટાડવી પડે છે ત્યારે તે રિવર્સ રેપો રેટમાં વધારો કરે છે. બેંકો આરબીઆઈ પાસે તેમના હોલ્ડિંગ માટે વ્યાજ મેળવીને તેનો લાભ લે છે. અર્થતંત્રમાં ઊંચા ફૂગાવા દરમિયાન આરબીઆઈ રિવર્સ રેપો રેટમાં વધારો કરે છે. આનાથી ગ્રાહકોને લોન આપવા માટે બેંકો પાસે ભંડોળ ઓછું થાય છે.
આજે જાહેર થયેલી પોલિસી મુજબ મોંઘવારી વધી શકે છે, પરંતુ ઈએમઆઈ યથાવત્ રહેશે, અને વ્યાજદરો પણ નહીં વધે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial