Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ફફડાટઃ ભયજનક ધડાકાઓ

જામનગર તા. ૧૭ઃ જામનગરમાં રાત્રે એરફોર્સ તરફથી મસમોટા ધડાકાઓ અનુભવાતા લોકો પણ ફફડી ગયા હતાં, તો કેટલાક મકાનોમાં તીરાડો પડી જવા પામી હતી. આ વિસ્તારના રહીશો ઈચ્છી રહ્યા છે કે સમયાંતરે આવી તકલીફો ઊઠવા પામે છે. તેનો કાયમી ઉકેલ લાવવો જોઈએ.

જામનગરમાં એરફોર્સ તરફથી મસમોટા ધડાકાઓ સંભળાયા હતાં. પરિણામે હીમાવુડ, કિલુભાઈ વાડી, ન્યુ જામનગર અને કુબેરનગર વિસ્તારમાં લોકો ફફડી ઊઠ્યા હતાં અને તેઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. કટલાક લોકો ઘરની બહાર નીકળી ગયા હતાં. તેઓએ ભૂકંપના ઝાટકા જેવો અનુભવ કર્યો હતો. થોડા થોડા સમયના અંતરે અનેક વખત આવા ધડાકાઓ સંભળાયા હતાં. અમુક લોકોના જણાવ્યા મુજબ જાણે કે મોટો ભૂકંપ આવ્યો હોય તેવો અનુભવ થયોહતો. દરેક ધડાકા ૩૦ સેકન્ડ સુધી અનુભવાતા હતાં. આથી જમીનમાં ધ્રુજારી અનુભવાઈ હતી. લોકોના જણાવ્યા મુજબ આ સમસ્યામાંથી કાયમી મુક્તિ મળે તે માટે સંબંધિત તંત્ર દ્વારા પગલાં લેવા જોઈએ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh