Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઠ દિ'ના ઉત્સવમાં ઉમટી રહ્યા છે દેશ-વિદેશના જૈનસમાજો
દ્વારકા તા. ૧૭ઃ દ્વારકાની પાવન ભૂમિ ઉપર બાવન જિનાલયના ઉત્સવનો દબદબાભેર પ્રારંભ થયો છે. આજે દિવસભર આ ભવ્યાતિભવ્ય ઉત્સવમાં દેશ-વિદેશના જૈન સમાજો ભાગ લઈ રહ્યા છે. પરમદિને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે.
દ્વારકા યાત્રાધામના આંગણે જૈન સમાજના બાવન જિનાલયના ઉત્સવનો પ્રારંભ ભવ્યાતિભવ્ય તૈયારીઓ સાથે દેશ-વિદેશના હજારો જૈન ભક્તોની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો છે. ઉપરોક્ત કાર્યક્રમમાં ભાગ લેવા માટે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ પરમદિને દ્વારકા આવી રહ્યા છે. દ્વારકાની પવિત્ર પાવન તીર્થ ક્ષેત્રની ભૂમિના આંગણે જામનગર-દ્વારકા હાઈ-વે રોડ ઉપર પ કિ.મી.ના અંતરે નેમિજિન તીર્થ બાવન જિનાલયના ત્રિવેણી સંગમ સ્વરૃપ નવાન્હિકા ઉત્સવ રંગેચંગે યોજાવામાં આવ્યો છે. આ ઉત્સવ દરમિયાન મુમુક્ષોના ભાગવતી પ્રવજ્યા તથા અન્ય સમાજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag