Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં શિવરાત્રિ સંદર્ભે શિવભક્તોએ યોજી ભક્તિ ફેરી

હર હર મહાદેવના ગગનભેદી નારા ગૂંજ્યાઃ

જામનગરમાં હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા શિવરાત્રિના મહાપર્વને લઈને શિવ શોભાયાત્રાના આયોજન અર્થે મહત્ત્વની અને અંતિમ બેઠક ગઈકાલે પંચેશ્વર ટાવર નજીક આવેલા શ્રીરામ દૂત હનુમાનજીના મંદિરે યોજાઈ હતી. જેમાં હિન્દુ ઉત્સવ સમિતિના અધ્યક્ષ કોઠારી સ્વામી પૂજ્ય ચતુર્ભુજદાસજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતાં અને તમામ શિવભક્તોને આશીર્વચન પાઠવ્યા હતાટ્ઠં. આ બેઠક પૂર્ણ થયા પછી ભગવાન શિવજની આરાધના કરવાના ભાગરૃપે મહાદેવ હર મિત્ર મંડળના પ્રમુખ રાજુભાઈ વ્યાસ (મહાદેવ) ની આગેવાનીમાં પંચેશ્વર ટાવરથી ભીડભંજન મહાદેવ મંદિર સુધીની ભક્તિ ફેરી યોજાઈ હતી. આ ભક્તિફેરીનું પ્રસ્થાન સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી ચતુર્ભૂજદાસજી મહારાજના હસ્તે કરાવાયું હતું અને મોટી સંખ્યામાં શિવભક્તો હર હર મહાદેવના ગગનભેદી નારાઓ સાથે ભીડભંજન મહાદેવના મંદિર સુધીની ભક્તિ ફેરીમાં જોડાયા હતાં. જે ભક્તિ ફેરી ભીડમંજન મહાદેવના દર્શન કરીને ફરીથી પંચેશ્વર ટાવર પાસે આવેલા ગૌરીશંકર મહાદેવના મંદિરે પૂર્ણ થઈ હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh