Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકાનો નિર્ણયઃ
જામનગર તા. ૧૭ઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા રસ્તે રઝળતા ઢોરને પકડીને ડબ્બે પૂરવાની કામગીરી કરવામાં આવે છે. પકડાયેલા ઢોરમાંથી સગર્ભા અને દૂધાળા ઢોરને દંડ વસૂલીને બાહેંધરી લખાવ્યા પછી છોડી મૂકવામાં આવશે તેવો નિર્ણય મ્યુનિ. કમિશનર વિજય કુમાર ખરાડી દ્વારા લેવામાં આવ્યો છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા રસ્તે રઝળતા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં અનેક પશુ દૂધાળા અને સગર્ભા પશુઓનો પણ સમાવેશ થાય છે.
હાલ પકડાયેલ પશુઓ પૈકી સગર્ભા હોય તવી ગાયો તથા જે પશુઓ દૂધાળા હોય તેમના બચ્ચાને દૂધ પીવડાવતી હોય તેવા પશુના શરીરમાંથી દૂધનો નિકાલ ન થાય તો જીવલેણ સાબિત થવાની સંભાવના છે.
આથી સગર્ભા અને દૂધાળા પશુઓને પાંચ હજારનનો પશુ દિઠ દંડ વસૂલાત કરી છોડી મૂકવામાં આવશે. આવા ઢોરને જાહેર માર્ગ ઉપર નહીં છોડવામાં આવે તેવી બાહેંધરી પણ પશુપાલકે આપવાની રહેશે તેમ કાર્યપાલક ઈજનેર મુકેશ વરણવાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag