Advertisement
Author: નોબત સમાચાર

રજતમઢીત સિંહાસન સ્વામીનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામીના હસ્તે અર્પણ

છોટીકાશીમાં શિવજીની પાલખી માટે તૈયાર કરાયેલું

જામનગર તા. ૧૭ઃ છોટીકાશીમાં મહાશિવરાત્રીના પર્વને લઈને શોભાયાત્રા સહિતના આયોજન અંગેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ વખતે શોભાયાત્રાના નગર ભ્રમણ દરમિયાન ભગવાન શિવજીની પાલખીમાં ચાંદીથી મઢેલું સિંહાસન તૈયાર કરવામાં આવ્યું છે, આ સિંહાસન સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી શ્રી ચતુર્ભુજદાસજી મહારાજના હસ્તે અર્પણ કરાયું હતું. હિન્દુઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા પરંપરાગત રીતે યોજાતી ૪રમી શિવ શોભાયાત્રા દરમિયાન ભગવાન શિવજીને રજત મઢીત તેમજ સુવર્ણ અલંકારોથી સજીત બનાવી દેવાયા છે. ભગવાન શિવજીની રજત મઢીત પાલખીમાં આ વખતે નવું આકર્ષણ ઉમેરવામાં આવ્યું છે. મહાદેવ હર મિત્ર મંડળના પ્રમુખ રાજુભાઈ વ્યાસ (મહાદેવ) અને તેમની ટીમ દ્વારા ચાંદીનું સિંહાસન તૈયાર કરીને નગર ભ્રમણ માટે જોડવામાં આવ્યું છે. જે સિંહાસનને ગઈકાલે શિવભક્તોની હાજરીમાં શોભાયાત્રા માટે અર્પણ કરવામાં આવ્યું છે. આ સુવર્ણ અલંકારો પણ પૂજ્ય કોઠારી સ્વામીના હસ્તે શિવ ભક્તો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યા હતાં. આવતીકાલે યોજાયેલી આ શિવ શોભાયાત્રા દરમિયાન ભગવાન શિવજીના રજત મઢીત સ્વરૃપને સુવર્ણ અલંકારો થી સુસજ્જ બનાવી દેવામાં આવશે, અને નગરજનોને તેના દર્શનનો લહાવો મળી રહેશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh