Advertisement
Author: નોબત સમાચાર

ખામનાથ મહાદેવ ટ્રસ્ટ દ્વારા શિવ વરણાંગી

ખંભાળિયાઃ મહાશિવરત્રિ નિમિતે

ખંભાળિયા તા. ૧૭ઃ મહા શિવરાત્રિના દિવસે વર્ષોથી ખંભાળિયામાં ખામનાથ મહાદેવ ટ્રસ્ટ દ્વારા ચાંદીની ર૦૦ કિલો વજનની પ્રાચીન શિવ, પાર્વતી તથા ગણેશની  મૂર્તિ સાથે ચાંદીની પાલખી બ્રાહ્મણો ઉપાડીને શહેરમાં શીવ વરણાંગીનું આયોજન થાય છે. જે ૧૦૦ થી વધુ વર્ષોની પરંચરા આ વર્ષે પણ શનિવાર તા. ૧૮/ર/ર૩ ના ચાલુ રહેશે.

અહીંના રંગમહેલ શાળા પાસે ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર તથા શણગાર સાથે આ શિવ વરણાંગી નીકળીને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને બપોરે ખામનાથ મહાદેવ મંદિરે પૂર્ણ થશે. અતિ વજનદાર આ શિવ વરણાંગીને માત્ર બ્રાહ્મણો જ ઉપાડે છે. તે પણ ધોતી કે પિતાંબરી પહેરીને ઉઘાડા પગે આ શિવની શોભાયાત્રાનું સ્વાગત ઠેરઠેર થાય છે. ઢોલ-નગારા, શરણાઈ, ડીજે પાર્ટી સાથે અનેક યુવક મંડળો, વિશ્વહિન્દુ પરિષદ, ખામનાથ ટ્રસ્ટના ધ્રુવભાઈ, મનુભાઈ સોમૈયા, ભરતભાઈ મોટાણી, ભરતભાઈ દવે, અમિતભાઈ વ્યાસ, હિતેન્દ્રભાઈ આચાર્ય આ આયોજનમાં જોડાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh