Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રી ગણેશ મરાઠા મંડળ-ચાંદીબજાર દ્વારા
જામનગર તા. ૧૭ઃ જામનગર શહેરમાં સૌપ્રથમ વખત શ્રી ગણેશ મરાઠા મંડળ - ચાંદીબજાર દ્વારા શિવાજી જયંંતીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, અને ૧૯ મી ફેબ્રુઆરીને રવિવારના સાંજે પાંચ વાગ્યે ચાંદીબજાર વિસ્તારમાંથી શોભાયાત્રા યોજાશે, જે નગર ભ્રમણ કરશે. જેમાં શિવાજી મહારાજની પ્રતિમા સાથેનો ફલોટ્સ તૈયાર કરાશે, તેમ જ ઘોડેશ્વાર શિવાજી મહારાજ પણ નગર ભ્રમણ કરશે. જામનગરમાં ચાંદી બજાર વિસ્તારમાં છેલ્લા ૩૦ વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરતા શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા આ વખતે સૌપ્રથમ વખત શિવાજી મહારાજની જન્મ જયંતીની વિશેષ રૃપે ઉજવણી કરવામાં આવશે.
આગામી તા. ૧૯ મી ફેબ્રુઆરીને રવિવારના દિવસે ૩૯૬ મી શિવજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે સાંજે પાંચ વાગ્યે ચાંદી બજાર વિસ્તારમાંથી શિવાજી મહારાજની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શિવાજી મહારાજની મૂર્તિ સાથેનો એક ફલોટ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત ઘોડેશ્વાર શિવાજી મહારાજની વેશભૂષા તૈયાર કરીને તેના દ્વારા પણ નગર ભ્રમણ કરવામાં આવશે. જે શોભાયાત્રા ચાંદી બજારથી પ્રારંભ થઈ સેન્ટ્રલ બેન્ક રોડ, પંચેશ્વર ટાવર, બેડી ગેઈટ, રણજીત રોડ થઈ ફરી ચાંદી બજાર વિસ્તારમાં પરિપૂર્ણ થશે. જેમાં ઉપસ્થિત રહેવા શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag