Advertisement
Author: નોબત સમાચાર

ભુજીયા કોઠાની નીચેના ભાગે આવેલી ૭ દુકાનો અન્યત્ર ખસેડાશે

જામ્યુકો દ્વારા અંદાજે ૨૫ કરોડના ખર્ચે થઈ રહેલા રેસ્ટોરેશન અંતર્ગત

જામનગર તા. ૧૭ઃ જામનગરની શાન સમાન ભુજીયા કોઠાના રેસ્ટોરેશનની કામગીરી ચાલી રહી છે તેની નીચેના ભાગમાં આવેલ સાત દુકાનધારકો સાથે સમજુતી થતા હવે તેને ત્યાંથી દૂર ખસેડવામાં આવશે. જામનગર મહાનગર પાલિકા દ્વારા રૃા. ૨૪ કરોડ ૮૩ લાખના ખર્ચે ભુજીયા કોઠાના રેસ્ટોરેશનની કામગીરી ચાલી રહી છે.

લગભગ ૧૩૯ વર્ષ પહેલા જામ રણમલજી બીજાના સમયમાં આવેલી આ ૩૮ મીટર ઉંચાઈની ઈમારત ૨૦૦૧ ના ભયાનક ભૂકંપમાં નુકસાન ગ્રસ્ત થઈ હતી.

આ ભુજીયા કોઠાની નિચે પેટ્રોલ પમ્પ નજીક સાત દુકાનો આવેલ છે તે હવે દૂર ખસેડવાની કામગીરી મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવશે.

આ માટે દુકાનદારો સાથે સમજુતિ કરવામાં આવી છે તેમને બીજા સ્થળે દુકાનની ફાળવણી કરવામાં આવનાર છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh