Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા.૧૭ઃ ખંભાળિયામાં જોધપુર ગેઈટ પાસે તાલુકા પંચાયતમાંથી પાણીનો પ્રવાહ આવવા માંડતા એક તબક્કે રસ્તા પર ચિક્કાર પાણી સાથે ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું હતું અને રોડ પર માણસો ચાલી ના શકે તેટલું પાણી તથા વાહનો નીકળે તો પાણી ચોમાસાની જેમ ઉડે તેવી સર્જાઈ હતી.
આ અંગે ફરિયાદ થતાં પાલિકાના સેનીટેશન વિભાગ દ્વારા તપાસ કરીને રૃબરૃ જતાં તાલુકા પંચાયતની સોલાર સિસ્ટમ ધોવાને લીધે આવડો પાણીનો જથ્થો રોડ પર જમા થયાનું જણાવાયું હોય તાલુકા પંચાયતના તંત્રને આ અંગે સૂચના આપવામાં આવી હતી.
સોલાર સિસ્ટમના પાણીને પાઈપથી ગટરમાં નાખવાના બદલે સરકારી તંત્ર દ્વારા પાણીથી રોડ પર વરસાદી વાતાવરણ જેમ ક્યાંય સુધી પાણી ઠેલાવાતા ભારે રોષની લાગણી સ્થાનિક લોકોમાં પ્રસરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag