Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં વૃક્ષો ધરાશાયી થતા માર્ગોને વાહન વ્યવહાર માટે ખૂલ્લા કરાયા

માર્ગ અને મકાન વિભાગની ત્વરિત કામગીરીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: ચોમાસાની ઋતુ દરમિયાન ભારે પવન અને વરસાદના કારણે માર્ગો પર વૃક્ષો ધરાશાયી થવાની પરિસ્થિતિમાં વાહન વ્યવહારને અસર ન થાય તે માટે જામનગર જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ધ્રોલ-લતીપુર-ટંકારા સ્ટેટ હાઈવે પર વૃક્ષ ધરાશાયી થતાં ધ્રોલ માર્ગ અને મકાન પેટા વિભાગના સ્ટાફ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરવામાં આવી હતી. માર્ગ પર પડેલા વૃક્ષને ઝડપથી દૂર કરી માર્ગને વાહનવ્યવહાર માટે ખુલ્લો કરવામાં આવ્યો હતો.

તે જ રીતે, જામનગર-લાલપુર-પોરબંદર સ્ટેટ હાઈવે પર પણ વૃક્ષો ધરાશાયી થતાં જામજોધપુર માર્ગ અને મકાન પેટા વિભાગના સ્ટાફ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી માર્ગ પર પડેલા વૃક્ષોને દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. ટૂંક સમયમાં જ  રસ્તો ખુલ્લો કરાવી વાહનવ્યવહારને સુગમ બનાવવામાં આવ્યો હતો.

ચોમાસા દરમિયાન માર્ગો પર વૃક્ષો ધરાશાયી થવા જેવી પરિસ્થિતિમાં વાહન વ્યવહારને ઓછામાં ઓછી અસર થાય અને નાગરિકોને સલામત તથા સરળ અવરજવર મળી રહે તે માટે માર્ગ અને મકાન વિભાગના કર્મચારીઓ દ્વારા ત્વરિત પ્રતિસાદ સાથે કામગીરી કરવામાં આવી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh