Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ ભાઈઓ સહિત શંકમંદોના ઘરની તલાસી લીધીઃ
શ્રીનગર તા. ૧પઃ ટેરર ફંડિંગ કેસમાં શોપિયા અને પુલવામામાં એનઆઈએ એ અનેક સ્થળોએ સર્ચ હાથ ધર્યું છે. અગાઉ પણ એનઆઈએ એ આતંકવાદી ષડ્યંત્રના સંદર્ભમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતાં. આજે શ્રીનગર સહિત પાંચ જિલ્લાના ૧૬ સ્થળે એનઆઈએ દ્વારા તલાશી અને પૂછપરછ કરાઈ રહી છે. એક શખ્સને કસ્ટડીમાં લીધો છે.
જમ્મુ-કાશ્મીરમાં એનઆઈએની મોટી કાર્યવાહી સામે આવી છે. દક્ષિણ કાશ્મીરના શોપિયા અને પુલવામામાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ ટેરર ફંડિંગના સંબંધમાં કેટલાક સ્થળોએ સર્ચ હાથ ધર્યું છે. પહેલા પણ એનઆઈએ એ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ષડ્યંત્રના સંદર્ભમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતાં.
મળતી માહિતી મુજબ એનઆઈએ ટેરર ફંડિંગને લઈ શ્રીનગર સહિત પ જિલ્લામાં ૧૩ સ્થળો પર દરોડા કાર્યવાહી હાથ ધરી છે. એનઆઈએ એ શ્રીનગરના કુરસુ રાજબાગમાં ત્રણ ભાઈઓ મોહમ્મદ અયુબ પખ્તુન, તારિક અહેમદ અને સફીનના ઘરોની તપાસ કરી હતી. ઝાકુરામાં મુશ્તાક અહમદ પિંજના ઘરની તલાશી લેવામાં આવી હતી.
બડગામ જિલ્લાના યુદ્ધ સંગમ વિસ્તારમાં સજ્જાદ અહેમદ ખાનના ઘરની તલાશી લીધા પછી એનઆઈએ એ તેને પૂછપરછ માટે કસ્ટડીમાં પણ લીધો હતો. આ સાથે જ બડગામના જ મીર મોહલ્લા નસરુલ્લાપોરામાં ફયાઝ અહમદ રાથેરના ઘરની તલાશી લેવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag