Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૧૫ ઃ જામનગરના નાઘેડી ગામ પાસે ગેરેજ ચલાવતા એક વૃદ્ધને શનિવારે રાત્રે કાળમુખા ટ્રકે ઠોકર મારી દેતાં ગંભીર ઈજા પામેલા આ વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્રએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા નાઘેડી ગામના પાટિયા પાસેથી શનિવારે રાત્રે આઠેક વાગ્યે પસાર થતાં ગોવિંદભાઈ વિઠ્ઠલભાઈ નામના વૃદ્ધના જીજે-રપ-કે ૨૨૦૪ નંબરના એક્ટિવા સ્કૂટરને પાછળથી મોત બનીને ધસી આવેલા જીજે-૧૦-ટીએક્સ ૭૨૭૯ નંબરના ટ્રકના ચાલકે ઠોકર મારી દીધી હતી.
આ અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા ગોવિંદભાઈને સારવારમાં ખસેડવામાં આવે તે પહેલા મૃત્યુ નિપજ્યું છે. આ બનાવની નાઘેડીમાં અવધ નગરમાં રહેતા મૃતકના પુત્ર સંજયભાઈ સુથારે સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ટ્રકચાલક સામે ગુન્હો નોંધ્યો છે.
મૃતક ગોવિંદભાઈ નાઘેડી પાસે ગેરેજ ચલાવતા હોવાનું ખૂલ્યું છે. તેઓ શનિવારે રાત્રે ગેરેજ બંધ કરીને ઘર તરફ જતા હતા ત્યારે તેઓને અકસ્માત નડ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag