Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માલસામાન ભરીને દુબઈ થયું હતું રવાનાઃ
જામનગર તા.૧પ ઃ સલાયાના એક આસામીનું સુલતાન ઓલીયા નામનું જહાજ માલસામાન ભરીને દુબઈ જવા રવાના થયા પછી યમનના મકલા પોર્ટ પર તે જહાજમાં આગ ભભુકી હતી. જહાજના તમામ ખલાસી જીવ બચાવવા માટે દરિયામાં કૂદી ગયા પછી તેઓને ઉગારી લેવામાં આવ્યા છે. જ્યારે જહાજ સળગીને ખાખ થઈ જવા પામ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા તાલુકાના સલાયાના એક આસામીની માલિકીનું સુલતાન ઓલીયા નામનું જહાજ થોડા દિવસો પહેલા માલસામાન ભરીને દુબઈ રવાના થયું હતું. આ જહાજ ગઈકાલે સાંજે યમનના મકલા પોર્ટ પર પહોંચ્યું ત્યારે અચાનક જ તેમાં વિકરાળ આગ લાગી નીકળી હતી. જોતજોતામાં આગની જ્વાળામાં ઘેરાઈ ગયેલા માલવાહક જહાજમાંથી બચી નીકળવા માટે તેના ખલાસીઓએ જીવ સટોસટનો જંગ આરંભ્યો હતો. સળગી રહેલા જહાજમાંથી ખલાસીઓ ટપોટપ દરિયામાં કૂદવા માંડ્યા હતા. તે તમામનો બચાવ થયો છે. જ્યારે જહાજ સળગીને ખાખ થઈ ગયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag