Advertisement
Author: નોબત સમાચાર

વીજ અકસ્માતમાં દાઝી ગયેલા કામદારને વળતર આપવા હુકમ

જામનગર તા.૧૫ ઃ ભોગાતની પવનચક્કી સાઈટ પર વીજ અકસ્માતમાં ભોગ બનેલા કામદારે વળતર મેળવવા કરેલી અરજીના અંતે કમિશનરે રૃા.૧૦ લાખ ઉપરાંતનંંુ વળતર મંજૂર કર્યું છે. ભાટિયાના ભોગાતમાં આવેલી પવનચક્કીની એક સાઈટ પર શોર્ટ સર્કીટથી અકસ્માત થયો હતો. જેમાં કામ કરી રહેલા હેમતભાઈ મંડોરા નામના વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયા હતા. તેણે પોતાને થયેલી ઈજા અંગે વળતર મેળવવા કામદાર વળતર ધારાના કમિશનર સમક્ષ અરજી કરી હતી.

તે અરજી ચાલી જતાં વર્કમેન કોમ્પેન્સેશન કમિશનરે હેમતભાઈ મંડોરાને વળતર પેટે  રૃા.૧૦,૪૪,૪૧૮ ચૂકવવા તેમજ ૫૦ ટકા પેનલ્ટીની રકમ આપવા ઉપરાંત ૧૨ ટકાનું વ્યાજ અને વળતર અરજીનો ખર્ચ રૃા.૫ હજાર ચૂકવવા હુકમ કર્યાે છે. હેમતભાઈ મંડોરા તરફથી વકીલ ગૌરવ પંડ્યા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh