Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઘરેથી ગુમ થયેલા પ્રૌઢનો કૂવામાંથી મળ્યો મૃતદેહઃ અપમૃત્યુના પાંચ બનાવઃ
જામનગર તા.૧૫ ઃ કાલાવડના દાવલી ગામના એક યુવાન દુધાળા ડેમમાં માછીમારી કરતી વખતે ડેમમાં પડી ગયા પછી મોતને શરણ થયા છે. જ્યારે ઘરેથી ગુમ થઈ ગયેલા એક પ્રૌઢ કૂવામાંથી મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યા છે. ઉપરાંત નિકાવા ગામના મહિલા પડી ગયા પછી ઈજા થવાથી મૃત્યુ પામ્યા છે. કચરો વાળતી વેળાએ જીવડુ કરડી જવાથી વૃદ્ધાનું મૃત્યુ નિપજ્યું છે અને નગરની યુવતીનું શ્વાસ ઉપડ્યા પછી મૃત્યુ થયું છે.
કાલાવડ તાલુકાના દાવલી ગામમાં રહેતા સંજયભાઈ સતારભાઈ વાઘેલા નામના ૧૯ વર્ષના દેવીપુજક યુવાન કાલાવડ તાલુકાના નાની ભગેડી ગામના દુધાળા ડેમમાં માછીમારી કરવા ગયા હતા. આ યુવાન શુક્રવારે અકસ્માતે ડેમમાં પડી ગયા હતા. જેની જાણ થતા ત્યાં હાજર લોકો દોડી આવ્યા હતા. આ યુવાનને બહાર કાઢી કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે સંજયભાઈ ને ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કરતા આ યુવાનના માતા ગીતાબેન વાઘેલાએ પોલીસને જાણ કરી છે.
લાલપુર શહેરની દ્વારકાધીશ સોસાયટીમાં રહેતા તારાબા ખુમાનસિંહ જેઠવા નામના ચોસઠ વર્ષના વૃદ્ધા ગઈ તા.૩ની સવારે પોતાના ઘરના ફળીયામાં કચરો વાળતા હતા. આ વેળાએ તેઓને હાથમાં કોઈ ઝેરી જીવડુ કરડી જતાં હાથમાં સોજો ચડી જતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ વૃદ્ધાનું મૃત્યુ થયાનું જેઠવા મહિપાલસિંહ પ્રભાતસિંહએ જાહેર કર્યું છે.
જામનગરના ખોજાનાકા વિસ્તારમાં ટીટોડી વાડી પાસે રહેતા ખુશ્બુ કાસીમભાઈ દરજાદા નામના ઓગણીસ વર્ષની યુવતીને પાંચેક વર્ષથી ડાયાબિટીસની બીમારી વળગ્યા પછી એકાદ મહિનાથી થાઈરોઈડ પણ થયો હતો. તે દરમિયાન ગઈકાલે શ્વાસ ચઢવા લાગતા તેણીને જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેનું મૃત્યુ થયાનું પિતા કાસીમભાઈ સુલેમાનભાઈ દરજાદાએ પોલીસમાં જણાવ્યું છે.
કાલાવડ તાલુકાના ભગત ખીજડિયા ગામના પરસોત્તમ ગોવિંદભાઈ ફળદુ નામના પ્રૌઢ ગયા મંગળવારે પોતાના ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા હતા. તે પછી ગઈકાલે આ પ્રૌઢ મોહનભાઈ રવજીભાઈ પટેલ નામના ખેડૂતના ખેતરમાં આવેલા કૂવામાંથી મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યા છે. રતિલાલ ગોવિંદભાઈ ફળદુએ પોલીસને જાણ કરતા કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો હતો. પોલીસે આ પ્રૌઢ કઈ રીતે કૂવામાં પડી ગયા તેની તપાસ શરૃ કરી છે.
કાલાવડ તાલુકાના નિકાવા ગામના સવિતાબેન પ્રેમજીભાઈ પુંધેરા નામના મહિલા ગઈકાલે પોતાના ઘરે હતા ત્યારે પડી જતાં ઈજા પામ્યા હતા. તેઓને કાલાવડના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા પછી ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. તેઓના પતિ પ્રેમજીભાઈ દેવશીભાઈનું પોલીસે નિવેદન નોંધ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag