Advertisement
Author: નોબત સમાચાર

લતીપરની જમીનનો દસ્તાવેજ રદ્દ કરવાનો દાવો નામંજૂર

જામનગર તા.૧૫ ઃ ધ્રોલના લતીપર ગામે ખેતીની એક જમીનનો દસ્તાવેજ રદ્દ કરવા માટે અદાલતમાં કરાયેલો દાવો રદ્દ કરવામાં આવ્યો છે.

ધ્રોલ તાલુકાના લતી૫ર ગામમાં આવેલી સર્વે નં.૨૬૩/ર વાળી જમીનનો કબજો મેળવવા નરશીભાઈ દેવજીભાઈ પરમારે અદાલતમાં દાવો કરી તેમાં જણાવ્યું હતું કે, જયાબેન મંગળભાઈ વગેરેએ રજીસ્ટર્ડ દસ્તાવેજથી તે જગ્યા પ્રવીણભાઈ તલપરાને વેચાતી આપવામાં આવી છે.

તે જગ્યાનો દસ્તાવેજ રદ્દ કરવો જોઈએ તે દાવામાં પ્રવીણભાઈ તલપરાએ દલીલ કરી હતી કે, વર્ષ ૨૦૦૧માં દસ્તાવેજ થયો છે અને વર્ષ ૨૦૦૬માં દાવો થયો છે. દાવો ત્રણ વર્ષ પછી થયો હોય, મુદ્દત બહારનો ગણી તેને રદ્દ કરવો જોઈએ. અદાલતે તે દલીલ ગ્રાહ્ય રાખી દાવો રદ્દ કર્યાે છે. પ્રવીણભાઈ તાલપરા તરફથી વકીલ એસ.કે. રાચ્છ, વિરલ રાચ્છ રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh