Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓશવાળ વેલફેર ચેરી. ટ્રસ્ટના ઉપક્રમે
જામનગર તા. ૧૫ઃ જામનગરમાં સિનિયર સિટીઝન કાઉન્સિલ અને ઓશવાળ વેલફેર ચેરીટેબલ ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં પ્રાર્થના વાચન જયશ્રીબેન મણિઆર, ઉષાબેન જોષી, ભાવનાબેન આશા દ્વારા કરવામાં આવ્યું હતું. સર્વરોગ નિદાન કેમપમાં સિનિયર સિટીઝન કાઉન્સિલના પ્રમુખ ઉરેશભાઈ મણિઆર, તેમજ પ્રમુખ વેલજીભાઈ શાહ, ઓશવાળ હોસ્પિટલ અને શાહ એજ્યુકેશન એન્ડ મેડિકલ ફાઉન્ડેશન, ઓશવાળ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી કીર્તિભાઈ દોઢિયા, રમણિકભાઈ ચંદરયા, બિલ્ડર મારખીભાઈ ચાવડા, શ્રેણિકભાઈ મહેતા, વકીલ જે.સી. વિરાણી, કોર્પોરેટરો સરોજબેન વિરાણી, પ્રવિણાબેન રૃપડિયા, બબીતાબેન ગનિયાણી, નૃપાબેન મકવાણા, દિશાબેન કુકડિયા તેમજ સતીબેન ચંદરયા, નિર્મલાબેન પારેખ આમંત્રિત દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં સ્ત્રી રોગ નિષ્ણાત પૂર્વીબેન શાહ, ડેન્ટલ ડોક્ટર જીતલબેન ભટ્ટ, સર્જન ડો. મામદાણી, ડો. મહેશભાઈ શાહ, ડો. કુશલ કપાસી, અશ્વિનભાઈ કપાસી, હાડકાની ઘનતા માટે આશિતભાઈ આચાર્ય, બી.પી. ચેકઅપ માટે કાજલબેન ગનિયાણી, તેમજ ડાયાબિટીસ ચેકઅપ માટે કાજલબેન ભદ્રા, ભરતભાઈ તેમજ અર્પિતભાઈ ધોળકિયાએ સેવા આપી હતી.
અતિથિવિશેષ તરીકે વેલજીભાઈ શાહે પ્રાસંગિક પ્રવચન આપીને કેન્સર ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી બદલ વિઠ્ઠલભાઈ ધોળકિયાને બીરદાવ્યા હતાં.
આ કેમ્પમાં ૩૬૦ દર્દીઓએ લાભ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા નરેન્દ્રભાઈ મણિયાર અજીતભાઈ દેસાઈ, ભાસ્કરભાઈ જોષી, ઉષાબેન ધોળકિયા, જયેશભાઈ ખીમસુરિયા, ભરતભાઈ આશા, કીર્તિભાઈ નાખવા, દિલીપભાઈ દત્તાણી, હરિશભાઈ પરમાર, સ્વરૃપબા જાડેજા, ચંદુલાલ ચૌહાણએ જહેમત ઊઠાવી હતી.કેમ્પનું સફળ સંચાલન પ્રોજેક્ટ ચેરમેન વિઠ્ઠલભાઈ ધોળકિયા દ્વારા કરવામાં આવ્યું હતું અને આભારવિધિ અજીતભાઈ દેસાઈએ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag