Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાયન્સ ટીચર નહીં હોવા છતાં
ખંભાળીયા તા. ૧૫ઃ કહેવત છે કે 'મન હોય તો માળવે જવાય તેમ ખંભાળીયા તાલુકાના વિંઝલપર ગામની સરકારી મોડેલ શાળાના ધો. ૧ર સાયન્સ છાત્રોએ સાર્થક કર્યું છે. તાજેતરમાં જાહેર થયેલા ધો. ૧ર ના પરિણામમાં આ શાળાનું પરિણામ ૯૦.૯૦ ટકા આવ્યું !! નવાઈની વાત તો એ છે કે શાળામાં વિજ્ઞાન પ્રવાહમાં એક પણ શિક્ષક જ નથી !!
શાળાના આચાર્ય શૈલેષભાઈ ઘેડીયા તથા સ્ટાફના દત્તાણીભાઈ વિગેરેએ યુ ટ્યુબ તથા જી શાળા તથા માધ્યમિકના શિક્ષકોની માધ્યથી, આ શાળાના છાત્રોને માર્ગદર્શન અને ભણાવ્યા અને એકલવ્ય જેવા છાત્રોએ ૯૦.૯૦ ટકા પરિણામ લાવી દેખાડયું !! દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારી એસ.જે. ડુમરાણિયા તથા એજ્યુકેશન ઈન્સ્પેકટર વિમલભાઈ કિરતસાતાએ સ્ટાફ તથા છાત્રોને અભિનંદન આપ્યા હતાં. કેજીબીની છાત્રોનું ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે જે પણ રેકોર્ડ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag