Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છાતીમાં દુખાવો ઉપડતા વૃદ્ધનું મૃત્યુઃ અપમૃત્યુના ત્રણ બનાવઃ
જામનગર તા.૨ : જામનગરના ખંભાળિયા નાકા પાસે આવેલી એક દરગાહમાં માથું ટેકવવા આવેલા પોરબંદરના ગર્ભવતી મહિલા ધૂણતી વખતે ઢળી પડ્યા પછી મૃત્યુ પામ્યા છે જ્યારે એક વૃદ્ધને છાતીનો દુખાવો ભરખી ગયો છે, ચાવડા ગામમાં ખેતરમાં કામ કરતી વખતે બેભાન બની ગયેલા વૃદ્ધ પર કાળનો પંજો પડ્યો છે.
જામનગરના ખંભાળિયા નાકા બહાર મકરાણી પાડામાં આવેલી દાતાર પીર દરગાહમાં ગઈકાલે માથું ટેકવવા આવેલા પોરબંદરના છાંયા વિસ્તારમાં રહેતા સાહિસ્તાબેન એજાઝભાઈ શેખ નામના મહિલા ધૂણતા હતા.
આ મહિલા ગર્ભવતી હતા. ધૂણતી વખતે અચાનક જ સાહિસ્તાબેન બેભાન બની ઢળી પડતા તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. હફીઝભાઈ શેખે પોલીસને જાણ કરી છે.
જામનગરના માંડવી ટાવર વિસ્તારમાં રહેતા અમૃતલાલ લક્ષ્મીદાસ સરૈયા નામના છૌત્તેર વર્ષના ભાટિયા વૃદ્ધ રવિવારે બપોરે પોતાના ઘરે હતા ત્યારે અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેમને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. આ વૃદ્ધનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. તેમના નાનાભાઈ દિનેશભાઈ સરૈયાએ પોલીસને જાણ કરી છે.
જામનગર તાલુકાના ચાવડા ગામમાં વસવાટ કરતા ઓધવજીભાઈ મોહનભાઈ મોલીયા નામના પાંસઠ વર્ષના વૃદ્ધ શનિવારે બપોરે પોતાના ખેતરમાં કામ કરતા હતા ત્યારે કોઈ કારણથી પડી ગયા હતા. બેશુદ્ધ બની ગયેલા આ વૃદ્ધને સારવારમાં લઈ જવાયા પછી ગઈકાલે તેમના પર કાળનો પંજો પડ્યો છે. વલ્લભભાઈ મોહનભાઈ મોલીયાએ પોલીસને જાણ કરી છે. પંચકોશી-એ ડિવિઝનના જમાદાર ડી.એ. રાઠોડે અપમૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag