Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં નિઃશુલ્ક એક્યુપ્રેશર શિબિર

તા. ૭-પ થી તા. ૧ર-પ સુધી

જામનગર તા. રઃ રોટરી કલબ ઓફ જામનગર અને જય ભગવાન એક્યુપ્રેશર સર્વિસ પારસ સ્મૃતિના સંયુકત ઉપક્રમે તા. ૭-પ-ર૩ થી ૧ર-પ-ર૩ સુધી એક્યુપ્રેશર તાલીમ શિબિર યોજાશે. જેમાં ૧ર વર્ષથી ઉપરના લોકો ભાગ લઈ શકશે. એક્યુપ્રેશર ટ્રેનર કૌશિકભાઈ પારેખ જણાવ્યું છે  આ તાલીમ શિબિર નિઃશુલ્ક છે. શિબિરમાં જોડાવા માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ એક્યુપ્રેશર તાલીમ શિબિરમાં દરેક રોગ અને બીમારી માટે એક્યુપ્રેશર પોઈન્ટ મુદ્રાઓની સમજ, માહિતી અને પ્રાયોગિક કાર્ય કરવામાં આવશે. શરદી, ઉધરસ, તાવ, પેટનો દુઃખાવો, ડાયાબિટિસ, હાઈબ્લડપ્રેશર પોઈન્ટ શીખવવામાં આવશેે. સાત ચક્રોનું ધ્યાન કરવામાં આવશે. જે ખૂબ ફાયદાકારક છે. જેની કોઈ આડઅસર નથી. રોટરી કલબના પ્રેસિડેન્ટ ભાવેશ શેઠ અને સેક્રેટરી અંકિત ગોકાણી દ્વારા સૌને લાભ લેવા અનુરોધ કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh