Advertisement
Author: નોબત સમાચાર

ગોરીંજા પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી લઈ પરપ્રાંતિય યુવાનનો આપઘાત

જામનગર તા.૨ઃ દ્વારકા-ગોરીંજા રેલવે ટ્રેક પર શનિવારે રાત્રે એક પરપ્રાંતિય યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવી લઈ આત્મહત્યા કરી લીધી છે.

દ્વારકાથી ગોરીંજા ગામ તરફના માર્ગ પર આવેલા રેલવે ટ્રેક પર શનિવારે રાત્રે નવેક વાગ્યે ઓખાથી સોમનાથ જતી ટ્રેન પસાર થઈ હતી.

આ વેળાએ ત્યાં ધસી આવેલા મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના સુંદરગઢી ગામના રાધેશ્યામ સુરેશભાઈ સાલુખે નામના ચોત્રીસ વર્ષના યુવાને રેલવે ટ્રેક પર ઝંપલાવી લીધુ હતું.

ટ્રેનના પૈંડા હેઠળ ચગદાઈ ગયેલા આ યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું. રેલવેના કર્મચારી હેમતભાઈ શર્માએ પોલીસમાં જાણ કરી છે. પોલીસે  આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ શરૃ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh