Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ચાલુ માસમાં દાંત, આંખના ચાર કેમ્પ યોજાશે

સ્વ. વી.પી. ત્રિવેદી ચેરી. ટ્રસ્ટ, ડિવાઈન ટ્રસ્ટ દ્વારા

જામનગર તા. ૨ઃ જામનગરના સ્વ. વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટ તથા રાજકોટના ડિવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જામનગરમાં ચાલુ માસમાં ચાર દંતયજ્ઞ સુપર મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સાથેજ વી.વી. ત્રિવેદી ટ્રસ્ટ દ્વારા રણછોડદાસબાપુ આશ્રમ આંખની હોસ્પિટલ દ્વારા મોતીયાના ઓપરેશન માટેના કેમ્પો પણ યોજવામાં આવ્યો છે.

જેમાં તા. ૦૫-૦૫-૨૩ના હરિદાસ જીવણદાસ લાલ ટ્રસ્ટ (જુના રેલવે સ્ટેશન-શ્રી ઝુલેલાલ મંદિર સામે), તા. ૧૨ના બેડીગેઈટ સ્થિત સ્વામિનારાયણ મંદિર, તા. ૧૯ના ગીતા વિદ્યાલય, કે.વી. રોડ અને તા. ૨૬ના રીલાઈટ ઓપ્ટીકલ સરદાર પટેલ કોમ્પ્લેક્ષ, રામેશ્વરનગર બસ સ્ટેન્ડ પાસે આ કેમ્પો યોજવામાં આવ્યા છે.

દાંતના કેમ્પમાં દર્દીઓને હલતા દાંત જલંધર પદ્ધતિથી કાઢી આપવામાં આવશે .જ્યારે આંખના કેમ્પમાં ઓપરેશન માટે રાજકોટ લઈ જવાશે અને નિઃશુલ્ક નેત્રમણી બેસાડી પરત લાવવાથી વ્યવસ્થા કરવામાં આવશે. આ અંગે વધુ વિગત માટે નટુભાઈ ત્રિવેદી (૯૯૯૮૦ ૯૫૨૧૦)નો સંપર્ક સાધવાનો રહેશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh