Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોળના સાંઈ અન્નક્ષેત્ર તથા ગૌશાળાના લાભાર્થે પ્રથમ સમૂહ લગ્નનું આયોજન

જામનગરમાં તા. ૭/પ ના દિને

જામનગર તા. ૧ઃ જામનગરના સાંઈબાબા સેવા ટ્રસ્ટના સહયોગથી ધ્રોળના સાંઈ અન્નક્ષેત્ર, ગૌશાળા તથા મંદિરના લાભાર્થે આગામી તા. ૭/પ ના દિને જામનગરમાં ગુલાબનગરમાં લક્ષ્મીનારાયણ મંદિર પાસે પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સમૂહલગ્નમાં ૧૬ નવયુગલો લગ્નગ્રંથીથી જોડાશે. દીપ પ્રાગટ્ય પૂર્વ પ્રમુખ રાજભા સતુભા જાડેજાના હસ્તે કરવામાં આવશે. સમૂહલગ્નમાં લગ્નગીતો ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ રેશ્માબેન કાનિયા અને ગીતાબેન ગોસાઈ રજૂ કરશે. આ પ્રસંગે રાજ્ય મંત્રી, સંસદસભ્ય, ધારાસભ્યો, રાજકીય આગેવાનો, સંતો-મહંતો ઉપસ્થિત રહેશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh