Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટીબાણુંગાર ગામે આવતીકાલે
જામનગર તા. રઃ જામનગર તાલુકાના મોટી બાણુંગાર ગામના આનંદ આશ્રમમાં તા. ૩-પ ને બુધવારે સવારે ૧૦-૩૦ વાગ્યે શ્રીરામ લક્ષ્મણ જાનકી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો છે. આ સાથે જામનગર વૈષ્ણવ વીરકત મહામંડળ દ્વારા પ્રાચીન શ્રી ખિમેશ્વર મહાદેવ મંદિર (ખીમરાણા)ના ગાદિપતિ મહંત તરીકે પ.પૂ. શ્રી કર્ણદાસજી મહારાજની ચાદરવિધિ (મહંતાઈ)નું પણ આયોજન કરવામાં આવ્યું છે. બપોરે ૧ર વાગ્યે મહાપ્રસાદ (ભંડારો) રાખવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તા. ર૭-૪-ર૩ થી ચાલતી ૧૧૧ પાટલાની શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું સમાપન તા. ૩-પ-ર૩ ને બુધવારના થશે. સર્વે ધર્મપ્રેમી જનતાને આ પાવન પ્રસંગોનો લાભ લેવા શ્રીશ્રી ૧૦૦૮ મહંતશ્રી શ્યામબિહારીદાસ શાસ્ત્રીજી, ગુરૃશ્રી આનંદદાસજી મહારાજ તથા સમસ્ત મોટીબાણુંગાર ગ્રામજનો દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag