Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈશાક અહમદ ભટ્ટ નામના શખ્સની પૂછપરછઃ
નવી દિલ્હી તા. રઃ ટેરર ફન્ડિંગ મામલે એનઆઈએ દ્વારા કાશ્મીરમાં અનેક સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે, અને એક વ્યક્તિને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવાયો છે.
એનઆઈએ એ ટેરર ફન્ડિંગ મામલે આજે સવારે કાશ્મીર ઘાટીમાં વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતાં અને પૂછપરછ માટે એક વ્યક્તિને કસ્ટડીમાં લીધો હતો. શ્રીનગર, અવંતિપોરા, પુલવામા, કુલગામ અને અનંતનાગમાં લગભગ ૧ર સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતાં. એનઆઈએ એ શ્રીનગરના સોજેથ વિસ્તારમાંથી પૂછપરછ માટે એક વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે. કસ્ટડીમાં લેવામાં આવેલા વ્યક્તિની ઓળખ ઈશાક અહમદ ભટ્ટ તરીકે થઈ છે, તેમ સૂત્રો જણાવે છે.
શંકાસ્પદના પિતા મોહમ્મદ રમઝાન ભટ્ટે જણાવ્યું કે એનઆઈએની ટીમ સવારે પ-૩૦ થી ૬ વાગ્યાની વચ્ચે આવી હતી. તેમણે ઈશાક વિશે પૂછ્યું અને તેને સાથે લઈ ગયા. તેનો મોબાઈલ પણ લઈ લીધો છે. તેમણે જણાવ્યું કે, તે મજૂર તરીકે કામ કરે છે. ઈશાકના પિતાએ જણાવ્યું કે, અમારો કોઈપણ આતંકવાદી જુથ કે પથ્થરમારાની ઘટનાઓ સાથે કોઈ સંબંધ નથી.
ઈશાકના ભાઈ બિલાલ ભટ્ટે જણાવ્યું કે, ઈશાક ભણેલો નથી અને બારી લગાવવાનું કામ કરે છે. એનઆઈએ ગયા વર્ષે નોંધાયેલા ટેરર ફન્ડિંગ કેસની તપાસના સંદર્ભમાં દરોડા પાડી રહી છે. લગભગ એક મહિના પહેલા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ ટેરર ફન્ડિંગ સાથે સંબંધિત એક બિન-સરકારી સંસ્થા સાથે સંબંધિત મામલે જમ્મુ-કાશ્મીર સિટીઝન ગ્રુપ્સ ગઠબંધનના સંયોજક ખુર્રમ પરવેઝની ધરપકડ કરી હતી. અગાઉ એનઆઈએ એ આ જ કેસમાં શ્રીનગરમાંથી ઈરફાન મેહરાજની ધરપકડ કરી હતી. એનઆઈએના જણાવ્યા પ્રમાણે ઓક્ટોબર ર૦ર૦ માં નોંધાયેલા ટેરર ફન્ડિંગ કેસમાં વ્યાપક તપાસ પછી શ્રીનગરનો ઈરફાન મેહરાજ પહેલો આરોપી છે જેની ધરપકડ કરવામાં આવી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag