Advertisement
Author: નોબત સમાચાર

પક્ષીઓ માટે ચણનું દાન

જામનગર તા. રઃ હાલારી વિશા ઓશવાળ મહાજન સમાજના દાતા તરફથી પક્ષીઓ માટે ચણનું દાન આપવામાં આવ્યું છે. જેમાં મુલુન્ડ (મુંબઈ) માં રહેતા અને માંઢા ગામના વતની વિરામા (ડાઈબેન) જેઠાલાલ બીદ, સ્વ. રમણિકલાલ જેઠાલાલ બીદના પરિવારના રંજનબેન રમણિકલાલ બીદ, વૃષભ રમણિકલાલ બીદ અને મિનલબેન વૃષભ બીદ તરફથી કુલ ૧૦ ટન જુવાર અને બાજરાનું દાન આપવામાં આવ્યું હતું. આ કાર્યમાં જામનગર જિલ્લામાં ચાલતી ચણ વિતરણ પ્રવૃત્તિના મુખ્ય સંચાલક તથા ઉદ્યોગપતિ કાંતિલાલ મેપાભઈ કરમણભાઈ ગડાનો સહયોગ પ્રાપ્ત થયો હતો. વકીલ નાનજીભાઈ સોનગરા દ્વારા ખંભાળિયા, ભાટિયા, કલ્યાણપુર, બારાડી, દ્વારકા તાલુકાના કુલ ૯પ સ્થળોએ ચણનું વિતરણ કરવામાં આવ્યું હતું. ચણનું દાન આપવા કાંતિલાલ ગડા મો. ૮૯૮ર૧ ૯૯૧૯૦, અથવા રામજીભાઈ સોનગરા મો. ૯૪ર૬૯ પપ૪પ૦ નો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh