Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા આગામી ૧૧ ફેબ્રુઆરીએ સમર્પણ દિન યોજાશે

પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિઃ

ખંભાળિયા તા. પઃ ભાજપના સ્થાપક અને પ્રેરણાસ્ત્રોત પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ તા. ૧૧-ર-ર૦ર૩ ના હોય, આ દિવસને ભાજપ દ્વારા 'સમર્પણદિન' તરીકે ઉજવવાનું આયોજન થયું હોય, દ્વારકા જિલ્લા પ્રમુખ ખીમભાઈ જોગલ તથા તેમની ટીમ દ્વારા પણ દ્વારકા જિલ્લામાં આયોજન હાથ ધરાયું છે.

જિલ્લામાં વિવિધ મંડળોના હોદ્દેદારો, કાર્યકરો દ્વારા જાહેર સ્થળે પંડિત દીનદયાળની પ્રતિમા ફોટાને પુષ્પાંજલિ, વ્યક્તિત્વ કર્તવ્ય વિષે વક્તવ્યો, મોદી સરકારની ગરીબ કલ્યાણના કાર્યક્રમો અંગે ચર્ચાઓ ગોષ્ઠીઓ, જાહેર સ્થળો પર સ્વચ્છતા તથા વૃક્ષારોપણ અંગે કાર્યક્રમો સમર્પણ દિવસની સમર્પણ નિધિ માટેનું યોગદાન નમો એપ ચેક કે આર.ટી.જી.એસ. દ્વારા લેવાનું છે રોકડથી નહીં. રાજ્યભરમાં આ સમર્પણ દિવસની ઉજવણી કરવા ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh