Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કલેક્ટર, એસપી, ઓથોરીટીને કરાઈ રજૂઆતઃ
જામનગર તા. ૬ઃ જામનગર-દ્વારકા ધોરીમાર્ગ પર નેશનલ હાઈ-વે ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવેલા માર્ગ પર નયારા એનર્જી કંપનીએ ગેરકાયદેસર રીતે ક્રોસીંગ મૂકી દીધા હોવાની કલેક્ટર, એસપી તેમજ હાઈ-વે ઓથોરીટીને રજૂઆત કરવામાં આવી છે.
જામનગરથી ખંભાળિયા વચ્ચેના ધોરીમાર્ગ પર નેશનલ હાઈ-વે ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા નેશનલ હાઈ-વેનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ માર્ગ પર ધારાધોરણ મુજબ નિયત કરેલા પોઈન્ટ સિવાય કોઈપણ જગ્યાએ ક્રોસીંગ મૂકવાની મનાઈ હોવા છતાં ન્યારા એનર્જી કંપની દ્વારા પોતાની કંપનીના મેઈન ગેઈટ તથા મટીરિયલ ગેઈટ સામે કંપનીના વાહન પસાર કરવા માટે મંજુરી વગર જ ક્રોસીંગ મૂક્યા હતાં. તે બાબતની જાણ થતાં કલેક્ટર દ્વારા તે બંધ કરાવી દેવામાં આવ્યા હતાં.
આ પછી હાલમાં નયારા એનર્જી કંપનીએ પોતાની રીતે મેઈન ગેઈટ સામે ક્રોસીંગ મૂક્યા છે જે કંપનીના વાહન ગેઈટ પાસેથી પસાર થવાના હોય ત્યારે તેને ખોલવામાં આવે છે અને વાહન નીકળી જાય તે પછી તેને બંધ કરી દેવામાં આવે છે. ઉપરોક્ત બાબતની લાલપુર તાલુકાના મીઠોઈ ગામના મેહુલસિંહ ગુમાનસિંહ રાયજાદાએ જામનગર જિલ્લા કલેક્ટર, એસ.પી. તેમજ નેશનલ હાઈ-વે ઓથોરીટી ઓફ ઈન્ડિયાને સંબોધીને રજૂઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag