Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૬ઃ જામનગરની એલ.જી. હરિઆ સ્કૂલના કે.જી. વિભાગના નાના બાળકો માટે લાખાબાવળમાં આવેલ લીલીવતી નેચર ક્યોર એન્ડ યોગ રિસર્ચ સેન્ટરનો પ્રવાસ યોજવામાં આવ્યો હતો. આ પ્રવાસની વિશેષતા એ હતી કે બાળકો સાથે તેમની માતાઓને પણ જોડવામાં આવી હતી.
શાળાના આચાર્ય ધવલભાઈ પટ્ટ તથા કે.જી. વિભાગના હેડ રીટાબેન ગોરીના સંકલનથી યોજાયેલા પ્રવાસમાં બાળકો અને માતાઓએ વિવિધ રમતો તથા પ્રવૃત્તિઓનો આનંદ માણ્યો હતો. આ પ્રવાસ સમયે ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી રમણિકભાઈ કે. શાહ હાજર રહ્યા હતાં અને તેમણે પણ બાળકો સાથે આનંદ માણ્યો હતો. તેમણે પ્રાસંગિક ઉદ્બોધન કરી બાળકોમાં સંસ્કારોનું સિંચન કરવા માતાઓને અનુરોધ કર્યો હતો. શિક્ષકોએ પણ પોતાના સંસ્મરણો તાજા કર્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag