Advertisement
Author: નોબત સમાચાર

જામ. મનપા સ્ટેન્ડીંગ કમિટીની બજેટ બેઠક બુધવારે યોજાશે

કર-દર વધારાની દરખાસ્તોમાં કાપ સંભવ

જામનગર તા.૬ઃ જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આગામી તા. ૮ બુધવારે યોજવામાં આવી છે. મ્યુનિ. કમિશ્નરે સુચવેલ વધારાનાં કર-બોજમાં કાપ મુકવામાં આવશે તેવુ જાણવા મળી રહ્યું છે. જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક તા.૮/૨/૨૩ બુધવારે સવારે ૧૧ઃ૩૦ કલાકે યોજવામાં આવશે. આ બેઠકમાં કમિશનર દ્વારા રજૂ કરાયેલા અંદાજ પત્રમાં સુચવેલ કર-દર વધારામાં કાપ મુકવામાં આવી શકે છે. કમિશ્નરે કુલ ૫૩ કરોડનો વધારો સુચવ્યો હતો. જેમાં ખાસ કરીને પાણી વેરામાં ૩૫૦ નો વધારો સૂચવાયો છે. તેમાં પણ કાપ મૂકવામાં આવશે અને સંભવતઃ અડધો વધારો મંજૂર થઈ શકે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh