Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટના વેપારી પરિવારે કરી હતી અરજીઃ
જામનગર તા.૬ઃ જામનગરના એક વેપારીએ વ્યાજખોરી અંગે નોંધાવેલી ફરિયાદમાં રાજકોટના વેપારી પરિવારે આગોતરા જામીન મેળવવા કરેલી અરજી અદાલતે ગ્રાહ્ય રાખી છે.
જામનગરના વેપારી ચંદ્રેશભાઈ ભાંભરે રાજકોટના રતિલાલ રંગાણી તથા તેમના પરિવારજનો પાસેથી રૃા.૫૦ લાખ વ્યાજે લીધા હતા અને સિક્યુરિટીમાં ફાચરિયા ગામમાં આવેલી પોતાની ખેતીની જમીન મૂકી હતી. તે દરમિયાન રતિલાલ રંગાણીને ત્યાં કામ કરતા પોતાના કુટુંબીક જમાઈ રમેશ વસોયાના નામે તેઓએ આ જમીનનો કરાર કરી આપ્યો હતો. ત્યારપછી ચંદ્રેશભાઇએ ગયા વર્ષે રૃા.૫૦ લાખની રકમ રતિલાલ રંગાણીના પરિવારને ચૂકવી આપી હોવા છતાં તેઓ મિલકતનો કરાર કેન્સલ કરી આપતા ન હોવાની ફરિયાદ કરી હતી. તે કેસ અન્વયે રાજકોટના વિજય રંગાણી, શીતલબેન વિજયભાઈ તથા માતા જયશ્રીબેન રતિલાલે આગોતરા જામીન મેળવવા માટે અદાલતમાં અરજી કરી હતી. તે અરજીના અનુસંધાને બંને પક્ષો દ્વારા રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે આરોપીઓના આગોતરા જામીન મંજુર રાખ્યા છે. અરજદારો તરફથી ભરત સુખપરિયા એન્ડ એસો.ના દિલીપ મામતોરા, શકીના લોખંડવાલા, ખ્યાતિ પાઉં, સમર્થ વેકરીયા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag