Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના તારલાઓ મેન્ટલ એરિથપેટીક સ્પર્ધામાં રાજ્ય/રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા

આલોહા સેન્ટર, એશ્યોર એકેડમીનું ગૌરવઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: જામનગરના આલોહા સેન્ટર, એસ્યોર એકેડમીના ૨૪ વિદ્યાર્થીઓ રાજકોટમાં યોજાયેલી બ્રેઈનની ૮મી રાષ્ટ્રીય અને આલોહાની ૧૯મી રાજ્ય કક્ષાની મેન્ટલ એરિથમેટીક સ્પર્ધામાં પસંદગી પામ્યા હતા. જેમાંથી ૧૮ વિદ્યાર્થીઓએ વિજેતા થઈને સેન્ટર તથા જામનગરનું ગૌરવ વધાર્યું છે. વિદ્યાર્થીઓએ વિજેતા, પ્રથમ રનર-અપ અને બીજા રનર-અપના ટાઈટલ મેળવ્યા છે. તેમાં માનિત કારીયા (મેટ લેવલ-૪), વિવાન ભીમાણી (મેટ લેવલ-૩), વેદ ખાંટ (બીએેજેઆર પ્રિ.સ્ટેજ), પંથ પીપરીયા (બીએેજેઆર પ્રિ.સ્ટેજ), ભવ્ય કેવલરામાણી (માસ્ટર લેવલ-૫), રિયાન પાંભર (બીએેજેઆર પ્રિ.સ્ટેજ), આર્ય જોશી (બીએેજેઆર પ્રિ.સ્ટેજ), પલક ગલાણી (બીએેજેઆર સ્ટેજ-૧), નિમિત કણઝારીયા (બીએેજેઆર સ્ટેજ-૧), હિતાંશી શાહ (મેટ લેવલ-૬), સાર્થક સાપરીયા (બીએએસબી સ્ટેજ-૧), વેદાંશ માંડવીયા (બીએએસબી સ્ટેજ-૩), નમ્ર લીંબાસીયા (મેટ લેવલ-૬), નમ્ન ડોડીયા (મેટ લેવલ-૧૦), માહિર નારીયા (એમએએસઆર લેવલ-૬), રવિન્દ્ર પરમાર (બીએએસબી સ્ટેજ-૧), શ્રેયસ ચંદારીયા (માસ્ટર લેવલ-૩), વેદિકાબા જાડેજા (બીએએસબી પ્રિ સ્ટેજ) નો સમાવેશ થાય છે. એશ્યોર એકેડમીના મેનેજર ચાંદની શાહ, શિક્ષકો નીલા ઝીંઝુવાડીયા, રિદ્ધિ પારેખ, આસિસ્ટન્ટ શિક્ષક રીયા પાલા અને કાઉન્સેલર પ્રાચી ચડોત્રાએ જહેમત ઉઠાવી હતી. સેન્ટર ડાયરેકટર ઉદય કટારમલે સર્વે વાલી તથા વિદ્યાર્થીઓને સહકાર બદલ બિરદાવ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh