Advertisement
Author: નોબત સમાચાર

વેરાડમાં મંદિરના પૂજારીની બંધ ઓરડી તથા એક દુકાનમાં લગાડી દેવાઈ આગ

જામનગરના આસામીએ નોંધાવી ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: ભાણવડના ત્રણ પાટીયા પાસેથી એક આસામીના બાઈકની ચોરી થઈ છે અને વેરાડમાં દુકાન તથા પૂજારીની ઓરડીમાં કોઈ શખ્સે આગ લગાડી છે. તેની ફરિયાદ જામનગરના આસામીએ પોલીસમાં નોંધાવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના ત્રણ પાટીયા પાસે ચોરી થયાની અને વેરાડ ગામમાં મહાદેવ મંદિરના પુજારીની બંધ ઓરડી તથા એક દુકાનમાં કોઈ શખ્સે આગ લગાડ્યાની જામનગરમાં સ્વામી નારાયણ ટાઉનશીપમાં રહેતા કારાભાઈ જેતશીભાઈ ગાગીયાએ ભાણવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ કારાભાઈનું જીજે-૧૦-બીડી ૪૭૯૯ નંબરનું મોટરસાયકલ મંગળવારની રાત્રે ત્રણ પાટીયા પાસેથી કોઈ શખ્સ હંકારી ગયો છે. તેઓએ રૂ.૧પ હજારના વાહનની ચોરી ઉપરાંત વેરાડ ગામમાં તળાવની પાળ પાસે આવેલા મહાદેવજી મંદિરમાં પૂજારીને રહેવા મળેલી બંધ ઓરડી તથા નજીકમાં આવેલી મારખીભાઈ સામતભાઈ વસરાની ઈલેકટ્રીકની દુકાનમાં કોઈ શખ્સે આગ લગાડી નુકસાની સર્જી છે. ભાણવડ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh