Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્વ. ભૂપતસિંહ જાડેજાની પુણ્યતિથિ નિમિત્તે
જામનગર તા. ૨૦: દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વ. ભૂપતસિંહ જાડેજાની પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કૃષ્ણનગરમાં કરવામાં આવ્યું હતું. જેનું દીપ પ્રાગટય ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તથા જામનગર ડિસ્ટ્રીક્ટ કો. ઓ. બેંકના ચેરમેન જીતુભાઈ લાલના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે જામનગર હાપા યાર્ડના પૂર્વ ચેરમેન પ્રવીણસિંહ ઝાલા, કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા (હકાભા), જયરાજસિંહ જાડેજા, હર્ષાબા પ્રવીણસિંહ જાડેજા, પૂર્વ કોર્પોરેટર આકાશભાઈ બારડ તથા અનેકવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા દિગ્વિજયસિંહ ભૂપતસિંહ જાડેજા (પિન્ટુભાઈ), ભૂપતસિંહ જાડેજા (ધમભા) તથા જય અંબે મિત્ર મંડળના તમામ કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. તમામ રક્ત જામનગરની જી.જી. હોસ્પિટલમાં જમા કરાવવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial