Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના કૃષ્ણનગરમાં મહારક્તદાન કેમ્પ

સ્વ. ભૂપતસિંહ જાડેજાની પુણ્યતિથિ નિમિત્તે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વ. ભૂપતસિંહ જાડેજાની પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કૃષ્ણનગરમાં કરવામાં આવ્યું હતું. જેનું દીપ પ્રાગટય ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તથા જામનગર ડિસ્ટ્રીક્ટ કો. ઓ. બેંકના ચેરમેન જીતુભાઈ લાલના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે જામનગર હાપા યાર્ડના પૂર્વ ચેરમેન પ્રવીણસિંહ ઝાલા, કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા (હકાભા), જયરાજસિંહ જાડેજા, હર્ષાબા પ્રવીણસિંહ જાડેજા, પૂર્વ કોર્પોરેટર આકાશભાઈ બારડ તથા અનેકવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા દિગ્વિજયસિંહ ભૂપતસિંહ જાડેજા (પિન્ટુભાઈ), ભૂપતસિંહ જાડેજા (ધમભા) તથા જય અંબે મિત્ર મંડળના તમામ કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. તમામ રક્ત જામનગરની જી.જી. હોસ્પિટલમાં જમા કરાવવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh