Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યના શિક્ષણ વિભાગમાં થયો ઠરાવ
રાજકોટ તા. ર૦: ગુજરાત શિક્ષણ વિભાગે મોટો નિર્ણય લેતા રાજ્યમાં ૬ નવી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓ કાર્યરત થશે, જેથી વહીવટી માળખામાં ફેરફાર થશે.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના શિક્ષણ વ્યવસ્થાપનને વધુ વ્યવસ્થિત અને સરળ બનાવવા માટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તા. ૧૭-નવેમ્બર-ર૦રપ ના શિક્ષણ વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવેલા ઠરાવ અનુસાર રાજ્યમાં ૬ નવી જિલ્લા શિક્ષણાધિકારી (ડીઈઓ) કચેરીઓ શરૂ કરવામાં આવશે. આ નિર્ણય અંતર્ગત અંજાર (કચ્છ), અમદાવાદ શહેર (પૂર્વ વિસ્તાર), વડોદરા (ગ્રામ્ય), રાજકોટ (ગ્રામ્ય), સુરત (ગ્રામ્ય) અને ગાંધીનગર (ગ્રામ્ય) માં નવી કચેરીઓની વૈકલ્પિક વ્યવસ્થા અને મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે.
આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ કામગીરીનું ભારણ ઘટાડવું અને શાળાઓનું નિરીક્ષણ વધુ અસરકારક બનાવવાનો છે. શિક્ષણ વિભાગે કચ્છ, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, રાજકોટ અને સુરત જિલ્લાની હાલની કચેરીઓના કાર્યક્ષેત્રનું વિભાજન કરીને નવી જગ્યાઓ ઉભી કરી છે. આ નવી કચેરીઓ માટે જિલ્લા શિક્ષણાધિકારી (વર્ગ-૧) ની નવી જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે અને વર્ગ-ર-૩ અને ૪ ના કર્મચારીઓને હાલના મહેકમમાંથી તબદીલ કરવામાં આવશે.
આ કચેરીઓ શેઠ ડી.વી. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, સવાસરા નાકા બહાર, અંજાર (કચ્છ), અમદાવાદ શહેર (પૂર્વ) માં બ્લોક નં. બી, બહુમાળી ભવન, હિમાલયા મોલની સામે, વસ્ત્રાપુર, વડોદરા (ગ્રામ્ય) માં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ત્રીજો માળ કારેલીબાગ, ગાંધીનગર (ગ્રામ્ય) માં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યા મંદિર સેક્ટર-૭, રાજકોટ (ગ્રામ્ય) માં જુના વઢવાણનો ઉતારો, કસ્તુરબા માર્ગ, જિલ્લા બેંકની સામે અને સુરત (ગ્રામ્ય) બ્લોક-એ ત્રીજોમાળ, જિલ્લા સેવા સદન-ર અઠવાલાઈન્સમાં શરૂ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial