Advertisement
Author: નોબત સમાચાર

ધુંવાવમાં સરકારી હોમિયોપેથીક દવાખાનાનું ખાતમૂહુર્ત

આયોજન મંડળની ૧૫ ટકા વિવેકાધામ ગ્રાન્ટમાંથી થશે નિર્માણઃ

                                                                                                                                                                                                      

 જામનગર તા. ૨૦: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત નિયામક આયુષની કચેરી, ગાંધીનગર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ અધિકારીની સીધી દેખરેખ હેઠળ સરકારી હોમિયોપેથીક દવાખાનુ ધુંવાવના નવનિર્માણ પામનાર દવાખાનાના મકાનનું કે જે વિકેન્દ્રીત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત ૧૫ ટકા વિવેકાધીન (જિલ્લાકક્ષાની) ગ્રાન્ટમાંથી બનનાર છે. તેનુું ખાતમુહૂર્ત મયબેન ગલાભાઈ ગરસર (પ્રમુખ જિ.પં.), હસમુખભાઈ કણઝારીયા (ઉપપ્રમુખ જિ.પં.), ગલાભાઈ ગરસર (સામાજિક આગેવાન), કાનભાઈ (સરપંચ, ધુંવાવ), પ્રફુલભાઈ ચૌહાણ (તલાટી મંત્રી, ધુંવાવ) તથા હોમિયોપેથીક મેડિકલ ઓફિસર ડો. ધ્વની ગામીતની હાજરીમાં જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. હીરેન ઠક્કરે મંત્રોના પઠન સાથે ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh