Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાલાવડ પાસે સર્જાયો હતો અકસ્માતઃ
જામનગર તા. ૨૦: જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર ૧પ વર્ષ પહેલાં સર્જાયેલા એક અકસ્માતમાં એસટી બસના ચાલક સામે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી અને એસટી કોર્પોરેશન પાસે વળતર માંગવામાં આવ્યું હતું. વળતરની અરજી ચાલી જતાં ટ્રિબ્યુનલે આ અકસ્માત એસટી બસથી સર્જાયો ન હોવાનું ઠરાવી એસટી કોર્પોરેશનને વળતર ચૂકવવાની જવાબદારીમાંથી મુક્ત કર્યું છે.
જામનગર-કાલાવડ માર્ગ પર માટલી ગામ પાસેથી ગઈ તા.૯-૧૨-૧૦ના દિને પ્રવીણભાઈ મોહનભાઈ ઉમરેટીયા નામના વ્યક્તિ પોતાના બાઈક પર જતા હતા ત્યારે એસટીની એક બસ સાથે અકસ્માત થયાનું અને તેમાં પ્રવીણભાઈનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયાનું જાહેર કરી પોલીસમાં એસટી બસના ચાલક સામે ફરિયાદ કરાઈ હતી.
તે ઉપરાંત એસટી કોર્પોરેશન સહિત સામે ટ્રિબ્યુનલમાં વર્ષ ૨૦૧૧માં વળતરની માગણી કરતી અરજી પણ થઈ હતી. આ અકસ્માત એસટી બસથી બન્યો ન હોવા છતાં પોલીસમાં ફરિયાદ થઈ હતી અને એક રિક્ષાનો વીમો ન હોવાથી રિક્ષા માલિક અને અરજદારોએ મળી જઈ એસટી કોર્પોરેશન સામે વળતર મેળવવા ખોટી રજૂઆત કર્યાની દલીલ કરાઈ હતી. એસટી કોર્પોરેશન તરફથી રોકાયેલા વકીલ રાજેશ પી. તન્નાએ કરેલી દલીલો ગ્રાહ્ય રાખ્યા પછી ટ્રિબ્યુનલે આ અકસ્માત એસટી બસથી બન્યો નથી તેમ ઠરાવી એસટી કોર્પોરેશનને વળતર ચૂકવવાની જવાબદારીમાંથી મુક્ત કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial