Advertisement
Author: નોબત સમાચાર

નગરના આસામી સામે કરાયેલો વીજબીલનો દાવો પરત ખેંચવાની વીજ કંપનીને ફરજ પડી

ઉલટ તપાસમાં બીલ ખોટું હોવાની કબૂલાતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: જામનગરના એક આસામીને ત્યાં ત્રણ વર્ષ પહેલાં વીજ ટૂકડીએ ચેકીંગ કર્યા પછી આ આસામીને રૂ.૧૪૪૮૦૮નું બીલ આપ્યું હતું. તેની વસૂલાત માટે વીજ કંપનીએ અદાલતમાં દાવો કર્યા પછી ઉભી થયેલી કાનૂની પરિસ્થિતિના કારણે તે દાવો પરત ખેંચી લીધો છે.

જામનગરના વિમલ જેઠાલાલ મંગે નામના આસામીને ત્યાં વર્ષ ૨૦૨૨માં વીજ કંપનીની ટૂકડીએ કરેલા ચેકીંગ પછી રૂ.૧,૪૪,૮૦૮ની વીજચોરીનો આક્ષેપ કરી બીલ આપવામાં આવ્યું હતું.

તે બીલ ભરપાઈ કરવામાં ન આવતા દીવાની અદાલતમાં વિમલ મંગે સામે વીજ કંપનીએ દાવો નોંધાવ્યો હતો. તે દાવામાં નાયબ ઈજનેરની કરાયેલી ઉલટ તપાસમાં બીલ ખોટું છે તેમ કબૂલ કરાવાયું હતું. આથી વીજ કંપનીએ દાવો પરત ખેંચવા અરજી કરી હતી અને અદાલતે દાવો પરત ખેંચી લેવા આદેશ કર્યાે હતો. વિમલભાઈ મંગે તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh