Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં આવતીકાલે યોજાશે રાષ્ટ્રીય કક્ષાની મોકડ્રીલઃ ઉચ્ચ કક્ષાની બેઠક

રિલાયન્સ રિફાઈનરીના ટેન્ક ફાર્મમાં ભીષણ આગ લાગશે, જેને તંત્રો બુઝાવશે!

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૦: આવતીકાલે ર૧ નવેમ્બરના જામનગરમાં રાષ્ટ્રીય કક્ષાની મોકડ્રીલનું આયોજન કરાયું છે, જેમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની સજ્જતાનું પરીક્ષણ કરાશે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દિલ્હીના ઉચ્ચ અધિકારીઓએ જામનગરમાં બેઠક યોજી તૈયારીઓ અને સંકલનની સમીક્ષા કરી હતી. જિલ્લા વહીવટી તંત્ર કોઈપણ આફતને પહોંચી વળવા તેમજ નાગરિકોના હિત માટે સંપૂર્ણ કટિબદ્ધ હોવાનું જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

ભારત સરકારના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તથા ગુજરાત સરકારના ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તેમજ જિલ્લા વહીવટી તંત્ર જામનગરના ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર દ્વારા આગામી તા. ર૧નવેમ્બરના રિલાયન્સ રિફાઈનરીમાં રાષ્ટ્રીય કક્ષાની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ ર૦૧૯ પછી આ પ્રકારની રાષ્ટ્રીય કક્ષાની ડ્રીલ જામનગરમાં યોજાવા જઈ રહી છે. આ મોકડ્રીલ રિલાયન્સ રિફાઈનરીના ટેન્ક ફાર્મમાં આગ લાગવાની સ્થિતિને અનુલક્ષીને યોજવામાં આવશે.

આ મોકડ્રીલના આયોજન માટે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, દિલ્હીથી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ઉચ્ચ અધિકારી આદિત્યકુમાર, સેનાના અધિકારીઓ તથા સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથેની એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

આ અંગે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે જણાવ્યું કે, આ મોકડ્રીલ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં વહીવટી તંત્રની કોઈપણ પ્રકારની ડિઝાસ્ટરને પહોંચી વળવાની ક્ષમતાની કસોટી કરી તેની તૈયારીઓ અંગેની સમીક્ષા કરવામાં આવશે. આ અંગેની સમીક્ષા કરવા દિલ્હી સ્થિત નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ઉચ્ચ અધિકારી આદિત્યકુમાર તથા તેમની ટીમ પણ જામનગરમાં આવી પહોંચી છે અને સમગ્ર ડ્રીલનું સંકલન તથા સંચાલન કરી રહી છે. આ ડ્રીલમાં કેન્દ્ર તથા ગુજરાત સરકારના તમામ સંબંધીત વિભાગો, સેનાની ત્રણેય પાંખ તેમજ કોસ્ટ ગાર્ડ સહિતની તમામ ઓથોરિટી સક્રિયપણે જોડાશે. જિલ્લા વહીવટી તંત્ર જામનગર દ્વારા આ મોકડ્રીલના આયોજન સંબંધે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે અંતમાં વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે, આગામી દિવસોમાં જિલ્લાના નાગરિકોના હિત માટે કોઈપણ પ્રકારના ડિઝાસ્ટરને પહોંચી વળવાની કામગીરી માટે જિલ્લા વહીવટી તંત્ર સક્ષમ છે અને સુપેરે કામગીરી કરવા માટે કટિબદ્ધ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh