Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુવાવર્ગમાં હૃદયરોગના વધતા પ્રમાણથી ચિંતાઃ
ખંભાળિયા તા. ૨૦: ખંભાળિયાના એક યુવાનને ગઈરાત્રે નિદ્રાધીન હાલતમાં જ હૃદયરોગનો હુમલો આવી જતા તેઓનું અવસાન થયું છે. સદ્ગતની અંતિમવિધિ માટે બ્રહ્મસમાજના આગેવાનો બહાર આવ્યા છે. હૃદયરોગના યુવાવર્ગમાં વધતા પ્રમાણથી ચિંતાની લાગણી ફેલાઈ છે.
ખંભાળિયામાં વસવાટ કરતા ગૌરાંગભાઈ શૈલેષભાઈ જોષી (ઉ.વ.૩૩) નામના યુવાન ગઈરાત્રે પોતાના રહેણાંકમાં નિદ્રાધીન થયા પછી ઉંઘની હાલતમાં જ તેઓનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યું છે.
આ બનાવની આજે સવારે જાણ થતાં અરેરાટી પ્રસરી છે. સદ્ગતના કોઈ પરિવારજનો ખંભાળિયામાં ન હોવાના કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લા બ્રહ્મસમાજના પ્રમુખ કાંતિભાઈ રાજગોર તેમજ પપ્પુભાઈ જોષી, સુરેશભાઈ ઢાંકી, નીતીનભાઈ આચાર્ય વગેરે સદ્ગૃહસ્થો દ્વારા સદ્ગતની અંતિમવિધિ માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. દ્વારકા જિલ્લામાં યુવાનોમાં વધતા જતા હૃદય રોગના પ્રમાણથી ચિંતાની લાગણી પણ પ્રસરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial